Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ખૂબ જ ગુણકારી છે આ ફળના પાન, ખરતા વાળની સમસ્યા કરશે દૂર

હેર ફોલ એટલે કે ખરતા વાળ એક એવી સમસ્યા છે, જેનાંથી મોટાભાગના લોકો પીડિત છે. ખરતા વાળ અટકાવવા માટે શું કરવુ એ લોકોને સમજાતુ જ નથી હોતું. તેને માટે એલોપેથી ઉપચાર અજમાવતા પહેલા કેલાક ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર અપનાવવા જોઈએ. એમાંથી જ એક ઉપાય છે, જમરૂખના પાનનો ઉપયોગ. જારૂખના પાનમાં ઘણા ચમત્કારિક ગુણો છૂપાયા છે, જેને કારણે ખરતા વાળની સમસ્યા દૂર કરી શકાય છે.

લગાવવાની રીતઃ

જમરૂખના પાન લો. તેને ધોઈ લો. હવે તેને પાણીમાં ૨૦ મિનિટ સુધી ઉકાળો. ઉકાળેલા પાણીને ઠંડુ કરી લો અને તેને એક બોટલમાં ભરી દો. આ સોલ્યુશન વાળને હેલ્ધી બનાવે છે. હવે આ રહેવા દો. હવે  સારૂ સાબુ અથવા નેચરલ શેમ્પુથી વાળ ધોઈ લો. સારૂ પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં એકવાર આ સાલ્યુશનને વાળના મૂળમાં લગાવો. થોડા દિવસોમાં જ અસર દેખાવા માંડશે.

(9:47 am IST)