Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

નાઇજીરિયામાં આતંકવાદી હુમલામાં 21 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:પશ્ચિમી આફ્રિકી દેશ નાઇજીરિયામાં આતંકવાદીએ એક ગામ પર કરેલ હુમલામાં 21 લોકોના મૃત્યુ નિપજ્યા છે.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા  વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. હુમલો મંગળવારના રોજ કડુના  પ્રાંતમાં ફીકા જિલ્લાના બકાલી ગામમાં ઘટના બની હતી.

                      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લગભગ 100અજાણ્યા બંદૂકધારીઓએ કરેલ હુમલામાં કાર અને મોટરસાયકલને પણ આગ ચાંપી હોવાનું માલુમ પડી રહ્યું છે. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ પણ સંગઠનદ્વારા લેવામાં આવી નથી.

(6:36 pm IST)