Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પાકિસ્તાનના પખ્તુનખ્વા પ્રાંતમાં સામાન્ય વાતને લઈને થયેલ ગોળીબારીની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નજીવી વાતને લઈને થયેલ વિવાદમાં બે સમૂહો વચ્ચે ગોળીબારીની ઘટના બની હતી જેના કારણોસર કુલ ત્રણ લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના સોમવારના રોજ પ્રાંતના કોહાટ જિલ્લાના જંગલ ખેલ વિસ્તારમાં બની હતી.

                 પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોમાં એક શંકાસ્પ્દ સહીત અન્ય બે લોકોનો સમાવેશ થઇ રહ્યો છે. આ ગોળીબારીની ઘટનામાં અન્ય એક શખ્સને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:21 pm IST)