Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

લાકડાનો ધુમાડો પુરૂષોનેસ્ત્રીઓ બન્ને પર જુદી-જુદી અસર કરે

લાકડાં બળવાથી પેદા થતો ધુમાડો નાક કે આંખમાં જાય તો શું થાય? આંખો બળે અને નાકમાં ઇરિટેશન થાય. ધુમાડો નાક વાટે ફેફસામાં જઇને એની કાર્યક્ષમતા ઘટાડે. આવા જવાબો તો આપણે જાણીએ જ છીએ. પરંતુ સંશોધકોએ એ પ્રયોગ કર્યો છે કે લાકડાનો ધુમાડો શરીરમાં થાય તો એનાથી આપણાં શ્વસનતંત્રને સાચવતી સુરક્ષાવ્‍યવસ્‍થામાં શું થાય છે. નવાઇ પમાડનારી વાત એ છે કે અભ્‍યાસકર્તાઓને જોવા મળ્‍યું છે કે લાકડાના ધુમાડાથીસ્ત્રીઓ અને પુરૂષોના શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્‍યાસકર્તાઓએસ્ત્રી-પુરૂષ વોલન્‍ટિયર્સના એક ગ્રુપને પહેલાં લાકડાના ધુમાડો ખવડાવ્‍યો અને બીજા ગ્રુપને ફિલ્‍ટર કરેલી હવા આપી. ત્‍યારબાદ બન્ને ગ્રુપને ઇન્‍ફલુએન્‍ઝા વાઇરસની વેકિસન આપવામાં આવી. સ્‍વાભાવિકપણે બન્ને ગ્રુપના નાકના પેસેજમાં હળવી હલચલ અનુભવાઇ. અમેરિકન જર્નલ ઓફ રેસ્‍પિરેટરી એન્‍ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્‍યાસ મુજબ જયારેસ્ત્રી-પુરૂષોમાં લાકડાના ધુમાડાને કારણે ઇમ્‍યુન-સિસ્‍ટમ પર એવરેજ કેવી અસર પડી એ નોંધ્‍યું તો તારણ નીકળ્‍યું કે ધુમાડાથી ઈમ્‍યુનિટીમાં કોઇ ફરક નથી પડતો. જો કે જયારેસ્ત્રીઓ અને પુરૂષોના ડેટાનો અલગ-અલગ અભ્‍યાસ કરવામાં આવ્‍યો ત્‍યારે જોવા મળ્‍યું કે પુરૂષોની સરખામણીએ ષાીઓમાં ધુમાડાને કારણે ઇમ્‍યુનિટીમાં ઓછી અસર થાય છે. આવું કેમ?

 અભ્‍યાસકર્તાઓનું માનવું છે કે પૃથ્‍વી પર લગભગ ૪૦ ટકા લોકો એટલે કે આશરે ત્રણ અબજ લોકોને વર્ષોથી લાકડાં, કચરો, પાંદડા, છાણાં બાળવાને કારણે પેદા થતો ધુમાડો ખાવો પડે છે. મોટા ભાગેસ્ત્રીઓ આ કામમાં વર્ષોથી આગળ રહી છે. સદીઓથીસ્ત્રીઓ લાકડાનો ચૂલો પેટાવીને રાંધતી આવી છે. આ ક્રોનિક એકસપોઝરને કારણે તેમના શ્વસનતંત્રનો રિસ્‍પોન્‍સ નબળો પડી જતો હોવો જોઇએ.

(3:41 pm IST)