Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અમારી પાસે જાકીર નાઇકને પ્રત્યાર્પિત ન કરવાનો અધિકારઃ મલેશિયાઇ પીએમ

મેલેશિયાના પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદએ કહ્યું છે કે જો ઇસ્લામિક પ્રચારક જાકિર નાઇકને ભારતમાં ન્યાય નહી મળે તો મલેશિયાની પાસે એમને પ્રત્યાર્પિત નહી કરવાનો અધિકાર છે. મોહમ્મદએ કહ્યું જાકિરને લાગે છે કે એમને (ભારતમાં) નિષ્પક્ષ ટ્રાયલ નથી મળવાની. જાકિર સામે ધનશોધન અને આતંકી ગતિવિધઓમાં સામેલ હોવાનો આરોપ છે.

(10:44 pm IST)