Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સુડાનમાં વિમાન ક્રેશ થતા 19 યાત્રીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી:દક્ષિણ સુદાનના એક તળાવમાં એક વધુ વજન ભરેલું વ્યાપારી વિમાન તુટી પડતા ૨૧ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા તેમ એક સ્થાનિક અધિકારીએ માહિતી આપી હતી.૧૯ બેઠકોવાળું વ્યાપારી નાનું વિમાન પાટનગર જુબાથી પ્રવાસ કરી રહ્યું હતું અને યિરોલ તરફ જઈ રહ્યું હતું તેમ તાબાન અબેલ અગુએકે માહિતી આપી હતી. અધિકારીઓ વિમાન તુટી પડવાના કારણની તપાસ કરી રહ્યા હતા. આ વિમાનમાં કુલ ૩ વ્યક્તિ બચી જવા પામ્યા છે.

(5:07 pm IST)