Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

અંજીરના આ ફાયદા જાણો છો?

અંજીરમાં ઘણા ગુણ હોય છે. તે જાંબલી, લીલા અને બીજા કેટલાય રંગોમાં હોય છે. તેમાં સ્વાદની સાથે આયુર્વેદિક ફાયદા પણ હોય છે.

. અંજીરમાં દાણા-દાણા હોય છે. અને તેમાં કેલેરી અને શુગર ઓછુ હોય છે, જે ડાયાબીટીશના દર્દીઓ માટે ફાયદાકારક છે.

. અંજીરના સેવનથી ભુખમાં રાહત મળે છે. અને બીજીવાર ઝડપથી ભૂખ લાગતી નથી. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

. કબજીયાત દૂર કરવા માટે સૂકા અંજીરના બી રાત્રે પલાળી સવારે તેનું સેવન કરવાથી કબજીયાતમાંથી આરામ મળે છે.

. હરસ દૂર કરવા માટે ૨-૩ સૂકા અંજીરને પાણીમાં પલાળી અને આખી રાત રહેવા દો. સવારે તેનું સેવન કરો. એક મહિના સુધી દરરોજ તેનું સેવન કરો.

(9:31 am IST)