Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વરસાદમાં કયારેય ઘરમાં ન સૂકવો ભીનાં કપડા

ઉત્પન્ન થાય છે જીવાણુ

નવી દિલ્હી તા. ૧૦ : વરસાદની મોસમ ભલે રોમેન્ટિક કહેવાતી હોય પરંતુ તે પોતાની સાથે અનેક તકલીફો પણ લઈને આવે છે. હજુ વોશિંગમશીન હોય તો ઓછી તકલીફ રહે છે પરંતુ રોજ કપડા ડ્રાયરમાં સૂકવી શકતાં નથી. આથી વરસાદથી કપડાને બચવા માટે ઘરની અંદર દોરી લગાવીને રાખવી પડે છે, પરંતુ શું તમે જાણો છો કે કપડા સૂકવવાની આ રીત ઘરના સભ્ય માટે અનેક બીમારીઓ પણ સાથે લાવે છે?

જયારે કપડા વરસાદથી ભીનાં થઈ જાય છે ત્યારે તે દુર્ગંધ ફેલાવે છે અને ઘરનું ઈન્ટિરિયર પણ બગાડે છે. આ ઉપરાંત તે અનેક બેકટેરિયાને પોષણ આપવાનું પણ કામ કરે છે. અસ્થમાના દર્દીઓ માટે આ પ્રકારના રૂમ અથવા ઘરમાં રહેવું એ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત જો ઘરમાં નાનુ બાળક હોય તો તેના સ્વાસ્થ્ય પર પણ દોરી પર રહેલા ભીના કપડાં નુકસાન પહોંચાડે છે. ભીનાં વાતાવરણમાં જીવાણું ઉત્પન્ન થાય છે. જે નરીઆંખે જોવા મળતાં નથી . જેની રોગપ્રતિકારક શકિત નબળી હોય છે તેને તરત જ અસર પહોંચે છે.

જેમને ત્વચાની બીમારીઓ હોય તેમની બીમારીઓ વધુ વકરે છે. સ્વસ્થ લોકોમાં પણ ત્વચાના સંક્રમણનો ભય ફેલાય છે. જયાં સુધી શકય હોય ત્યાં સુધી વોશિંગ મશિન ખુલ્લી અથવા હવાવાળી જગ્યા પર રાખો. મશીનને બેડરૂમ અથવા લિવિંગ એરિયાથી દૂર રાખવું જોઈએ. જેથી તેમાં ભીનાશ ન રહે.

અલમારીમાં ભીનાશ ન રહેવા દેવી જોઈએ. આ ઉપરાંત સમય સમય પર સફાઈ પર પણ ધ્યાન આપવું જોઈએ. આછા ભીના કપડાઓને 'તેની મેળે સૂકાઈ જશે' એવું વિચારીને કયારેય અલમારીમાં ન રાખો. બારી હંમેશા ખુલ્લી રાખો. જેથી હવાની અવર-જવર યોગ્ય રીતે થઈ શકે.

(9:58 am IST)