Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

આ વસ્તુથી કરો દિવસની શરૂઆત..

ઘણા લોકો સવારે ઉઠતાની સાથે ચિડચિડીયો વ્યવહાર કરે છે. આમ તેને જોઈને બધાના મનમાં એ સવાલ થાય છે કે ભાઈ! આજે તે ઉઠીને શું ખાધુ છે? એ વાત સંપૂર્ણ સત્ય છે કે આપણી ખાણી-પીણીની અસર આપણા મુડ પર પડે છે. અમુક ખાઘ પદાર્થો એવા હોય છે, જે સ્વાસ્થ્યની સાથે મુડને પણ સારૂ બનાવે છે. અમુક વસ્તુઓ એવી છે કે તેનું સવારે સેવન કરવાથી તમે આખો દિવસ ખુશ રહી શકો છો. જેમકે..

ડ્રાઈફ્રુટ્સઃ તમે નાસ્તામાં એક મુટ્ઠી ડ્રાઈફ્રુટ્સનું સુવન કરો. તેમાં બદામ, કાજુ, પિસ્તા, કિશમીશ, વગેરેને સામેલ કરી શકો છો. તેમાં રહેલ સેલેનિયમ નામનો ખનીજ પદાર્થ ચિંતા, થાક, ઉદાસી, વગેરેને ઓછુ કરવામાં મદદ કરે છે. તેનાથી તમને ખૂબ જ સારૂ મહેસૂસ થાય છે.

ચોકલેટઃ જો તમે દુઃખી મહેસૂસ કરો છો, તો ચોકલેટનું સેવન કરો. ચોકલેટમાં રહેલ અનાંડમાઈન તત્વ મસ્તિષ્કમાં ડોપામાઈ નમના સ્તરને સંપૂર્ણ બનાવી રાખવામાં મદદ કરે છેે. તેનાથી તમે તનાવ મુકત મહેસુસ કરશો અને મન પણ શાંત રહેશે.

પાસ્તાઃ  સાબુત અનાજમાંથી બનેલ પાસ્તા પણ હેલ્ધી ફુડના લિસ્ટમાં સામેલ છે. તેમાં રહેલ મેગ્નેશ્યિમની માત્રા તનાવના સ્તરને ઘટાડે છે.

પાલકઃ  પાલકમાં મેગ્નશ્યિમ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં આયર્ન, વિટામીન-એ અને સી જેવા તત્વો હોય છે. એનર્જીથી ભરપૂર રહેવા માટે પાલકનું સેવન અવશ્ય કરવું જોઈએ.

(9:56 am IST)