Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ઝિમ્બાબ્વેમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 47ના મોત;અનેક લોકો ઘાયલ

ઝિમ્બાબ્વેમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 47 લોકોના મોત નિપજ્યા છે. દેશના દક્ષિણપૂર્વમાં બે બસો સામ-સામે અથડાઈ હતી જેમાં કેટલાય લોકો ઘાયલ થયા છેઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે

  જાણવા મળ્યા મુજબ આ અકસ્માત મનિકાલેન્ડ પ્રાંત નજીક રુસપેની નજીક થયો હતો, જે રાજધાની હરારેથી 156 કિલોમીટર દૂર છે અકસ્માતમાં કુલ 47 લોકોના મોત નિપજ્યા છે, મૃતકોમાં 45 પુખ્ત વયના અને 2 બાળકો સામેલ છે.

 પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ ઘટનામાં એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં 47 લોકોના મોત નિપજ્યા છે, સાથે ઘણા યાત્રીઓ ઘાયલ થયા છે. જો કે, તેમણે ઘટનાનું કારણ વિશે કોઇ ટિપ્પણી કરી નહોતી. 

(12:48 pm IST)