Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

કેમેસ્ટ્રી માટે નોબેલ પુરસ્કાર માટે ઘોષણા કરવામાં આવી: ત્રણ વૈજ્ઞાનિકોને સમ્માનિત કરવામાં આવ્યા

નવી દિલ્હી: કેમેસ્ટ્રી વિસ્તારમાં નોબેલ ફાઉંડેશને વર્ષ 2019 માટે બુધવારના રોજ નોબેલ પુરસ્કારના નામની ઘોષણા કરી છે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં આ માટે જોન.બી.ગુડઇનફ ,એમ. સ્ટૈનલી વિટિઘમ અને અકિરા યોશિનોને સંયુક્ત રૂપથી રસાયન વિજ્ઞાનમાં વિજેતાની રીતે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું છે. તેને લિથિયમ આયન બેટરીનો વિકાસ કરવા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું છે.

              નોબેલ સમિતિએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લિથિયમ બેટરીએ પોતાના જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે અને તેનો ઉપયોગ મોબાઈલ ફોનથી લઈને લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહન સુધી દરેક વસ્તુમાં કરવામાં આવે છે.

(6:16 pm IST)