Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ઇંડોનેશિયામાં ભૂકંપમાં મ્રુતકઆંક વધીને 164એ પહોંચ્યો

નવી દિલ્હી: ગુરુવારના રોજ ઇન્ડોનેશિયામાં ફરી મહેસુસ કરવામાં આવેલ ભૂકંપના ઝટકામાં તીવ્રતા 5.9ની આંકવામાં આવી રહી છે અને સાથે રવિવારના રોજ આવેલ ભૂકંપમાં મૃતક આંક વધીને 164એ પહોંચી ગયો છે આ ઝટકા લોમ્બોકના દ્વીપમાં આવ્યા હતા.અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે આ ભૂકંપના કારણે લાખો લોકો બેઘર થઇ ગયા છે અને વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર દિવસમાં અત્યાર સુધીમાં 355 ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

(7:08 pm IST)