Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જાપાનમાં આવેલ પૂરના કારણોસર મ્રુતકઆંક વધીને 58એ પહોંચ્યો

નવી દિલ્હી: જાપાનમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે ભારે વિનાશ સર્જાયો છે. દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે પૂરને કારણે લગભગ 58 લોકોનાં મોત નીપજ્યાં છે અને એમ પણ કહ્યું હતું કે ઓછામાં ઓછા એક ડઝન લોકો હજી પણ લાપતા છે. ભારે વરસાદને કારણે, દક્ષિણ જાપાનનાં શહેરોનાં પૂરનાં પાણી શેરીઓમાં પ્રવેશ્યા. સૈનિકોએ લોકોને બચાવવા માટે બોટનો ઉપયોગ કર્યો.

          જાપાનના દક્ષિણ ક્ષેત્ર, કિશુમાં 3 જુલાઇની રાતથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અવિરત વરસાદ થયા બાદ પૂરની સ્થિતિ સર્જાઇ છે. ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું છે કે મંગળવારે 49 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. તે બધા નદીના કાંઠે કુમામોટો વિસ્તારના હતા.

(6:45 pm IST)