Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભારત સાથે મળીને અમેરિકા આયુર્વેદની મદદથી કરવા જઈ રહ્યું છે કોરોનાની શોધ

નવી દિલ્હી: કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે ભારત સહિત દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ રાત કામ કરી રહ્યા છે. તેની વચ્ચે આયુર્વેદ દ્વારા કોરોનાની સારવાર શોધવા માટે ભારત અને અમેરિકામાં આયુર્વેદિક ચિકિત્સક અને શોધકર્તાની સાથે મળી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઇ રહ્યા છે.

 બુધવારે પ્રખ્યાત ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકો, શિક્ષાવિદો અને ડૉક્ટરોના એક ગ્રુપ સાથે વર્ચ્યુઅલ ઈન્ટરેક્શન દ્વારા અમેરિકન એમ્બસેડર તરનજીત સિંધૂએ કહ્યું કે, સંસ્થાગત વ્યવસ્થાઓના વિશાળ નેટવર્કે બંને દેશોની વચ્ચે વૈજ્ઞાનિક સમુદાયોને કોરોના વાયરસ સામે લડવા માટે એક સાથે લાવી રહ્યા છે.

(6:42 pm IST)