Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કંબોડિયામાં અંકોરવાટ મંદિર માટે જાણીતા રીપ પ્રાંતમાં શ્વાનના માંસ વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:કંબોડિયામાં અંકોરવાટ મંદિર માટે જાણીતું સીએમ રીપ પ્રાંતમાં શ્વાનના માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પશુ અધિકાર સમૂહના કહેવા મુજબ આ વિસ્તારમાં શ્વાનના માંસના કારોબારીમાં ખાસ વૃદ્ધિ થઇ હતી. સીએમ રીપ પ્રાંતમાં અધિકારીઓએ સોમવારના રોજ શ્વાનના માંસ ખરીદવા તેમજ તેમના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

           2પશુ કલ્યાણ સમૂહોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે. દરેક વર્ષે કંબોડિયામાં 20 લાખથી ત્રીસ લાખ શ્વાન માંસ માટે મારવામાં આવે છે. તેમજ ક્યારેક ક્યારેક તો પાલતુ જાનવરોને પણ ચોરી લેવામાં આવતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:41 pm IST)