Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

શું તમે કમરના દુખાવાથી પરેશાન છો ? તો અપનાવો આ સરળ ઉપાયો

આજે મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમે ઘરે કામ કરો, ઉભા રહિને કામ કરો કે પછી ઓફિઝ ખુરશી પર બેસીને કામ કરો તો પણ આ દુઃખાવો તો આવી જ જાય છે. કમરના દુખાવાને કારણે માંસપેશીઓમાં તનાવ ઉત્પન્ન થાય છે અને આ દુખાવો વધવા લાગે છે. નીચેના ઉપાયોથી આ દુખાવામાં તમને ઘણો ફેર પડશે.

 અજમાના દાણાને તવીમાં શેકીને, થોડા ઠંડા દાણા થાય એટલે ધીરે-ધીરે ચાવતા ગળ જવું. વારંવાર ૭ દિવસ સુધી આનું સેવન કરવાથી ૮માં દિવસે તમને ફરક જણાશે.

 જે જગ્યએ દુઃખાવો થતો હોય ત્યાં ૫ મિનિટ સુધી ગરમ શેક આપવો અને ૨ મિનિટ ઠંડો શેક આપવો.

 તવીમાં ૨ થી ૩ ચમચી મીઠું નાખી બરાબર શેકી લેવું. હવે એક  કપડામાં મીઠું નાખી બાંધી દેવું. હવે કમરે આ પોટલીથી ગરમ શેક કરવો.

 વધારે સમય સુધી એકની એક જ જગ્યાએ ન બેસી રહેવું. ૪૦ મિનિટ બાદ ખુરશીમાંથી ઉભા થઈને બહાર એક આટો મારી લેવો.

 

(11:49 am IST)