Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મોરક્કોમાં રમઝાન દરમ્યાન નાઈટ કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું

નવી દિલ્હી:મોરક્કોમાં કોરોનવાયરસ મહામારીને રોકવા માટે મુસ્લિમના પાવન રમઝાન મહિનામાં નાઈટ કર્ફ્યુ લગાવી દેવાનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રમઝાનના પહેલા જ દિવસે દેશભરમાં નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે જે રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે. આ દરમ્યાન બધી જ ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી છે. આ બધું કોરોના વાયરસને વધતો અટકાવવા માટે કરવામાં આવી રહ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:31 pm IST)