Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પાકિસ્તાનના શોરકોટ નજીક પાકિસ્તાની એયરફોર્સનું મિરાજ વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું

નવી દિલ્હી:પાકિસ્તાનન શોરકોટ જિલ્લા નજીક નિયમિત પ્રશિક્ષણ ઉડાન માટે નીકળેલ પાકિસ્તાની એયરફોર્સનું મિરાજ વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું છે. વાયુસેનાના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે પાયલોટે સમય રહેતા તેમાંથી છલાંગ લગાવી દેતા  તેમનો જીવ બચી ગયો છે પરંતુ આ દરમ્યાન તેમને ગંભીર રીતે  ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ પણ લોકોને નુકશાન પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું નથી. આ દુર્ઘટના  જાંગ વિસ્તારમાં બની હતી હજુ સુધી તેના વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત  થઇ રહી નથી. 

(6:31 pm IST)