Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આ તે કેવો પત્ની પ્રેમ ?: ૧૬ વર્ષથી મૃત પત્નીના અવશેષ સાથે સુઇ જાય છે આ પતિદેવ

લંડન,તા.૭:વિયેટનામમાં એક પતિ દરરોજ મૃત પત્નીના અવશેષ સાથે સૂઈ જાય છે. વિવેટનામમાં લે વેન પત્નીના મૃત્યુ પછી એકલતા સહન કરી ન  શકયા. તેમણે કબર ખોદીને પત્નીના અવશેષ બહાર કાઢ્યા અને એ બધા પ્લાસ્ટિક સ્કલ્પચરમાં પૈક કરીને બેડ પર ગોઠવ્યા છે. રાતે એ અવશેષ ભરેલા સ્કલ્પચરના સહવાસમાં રાતે સૂઈ જાય તો તેમને સારી ઊંઘ આવે છે. આ સિલસિલો ૧૬ વર્ષથી ચાલે છે. તેમનાં સગાં અને ગામના  અન્ય રહેવાસીઓ વારંવાર લે વેનને સમજાવે છે  કે 'પત્ની મૃત્યુ પામી ચૂકી છે એ તમે સ્વીકારી  લો અને આ રીતે પૂતળા સાથે સૂવાનું બંધ કરો.' પરંતુ લે વેન એ વાત માનતો જ નથી.  બન્ને સાવ નાનાં હતાં ત્યારે તેમનાં માતા પિતાએ લગ્ન નક્કી કર્યા હતાં, પરંતુ વિયેટનામી  યુવાને લશ્કરી સેવા પણ આપવાની હતી એથી લે વેન ૧૯૭૫માં લશ્કરી સેવા આપીને પાછા આવતાં તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. નાનપણમાં લગ્ન નક્કી થયા છતાં તેમની મુલાકાત ભાગ્યે જ થતી હતી, પરંતુ લગ્ન પછી બન્ને ગળાડૂબ પ્રેમમાં પડ્યાં. તેમને સાત સંતાનો થયાં હતાં. ૨૦૦૩માં પત્નીનું અવસાન થયા પછી લે વેને કબ્રસ્તાનમાં સૂવાનું શરૂ કર્યું હતું. વેનના રાતે સૂઈ જવાના નવા સ્થાનની ખબર મળી હતી. એક વખત લે વેનને લાગ્યું કે રોજ કબ્રસ્તાનમાં સૂઈ જવાનું મુશ્કેલ છે એટલે તેણે કબર ખોદીને પત્નીના મૃતદેહનાં હાડકાં કાઢ્યાં અને એક બેગમાં પેક કર્યા હતાં. તેમણે પ્લાસ્ટરના અંદરથી પોકળ એવા સ્ત્રીના પૂતળામાં એ હાડકાં ભર્યા અને એ પૂતળું બેડ પર મૂકીને સૂવાનો સિલસિલો ૧૬ વર્ષથી ચાલે છે. લે વૈનને પોલીસ તથા અન્ય સત્ત્।ાવાળાઓએ સૂચના આપ્યા છતાં તે પત્નીના અવશેષને કબરમાં દાટતો નથી.

અત્યારે વ્હીલચેરમાં હોવા છતાં તે પૂતળાનો સંગાથ છોડતો નથી. દિવસમાં બે વખત તે પૂતળાનાં કપડાં પણ બદલે છે.

(3:34 pm IST)