Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો 'ભગવાનનો પત્ર'ની કિંમત 20 કરોડમાં આંકવામાં આવી

જર્મનીના પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો ૬૪ વર્ષ જુનો ' God Letter ' ૨.૯ મિલિયન અમેરિકન ડોલરમાં નિલામ થયો છે.આલ્બર્ટ આઇન્સ્ટાઇનના ઈશ્વર અને ધર્મને લઈને તેમના વિચારો આધારિત આ પત્ર ૨૦ કરોડ ૩૮ લાખ રૂપિયામાં નીલમ થયો છે.નિલામી ઘરના વક્તાના કહેવા પ્રમાણે આ પત્રની નિલામીની કિમત ૧૫ લાખ ડોલર એટલે કે ૧૦ કરોડ ૫૮ લાખ રૂપિયા આંકવામાં આવી હતી. બે પેજનો આ પત્ર ૩ જાન્યુઆરી, વર્ષ ૧૯૫૪ના રોજ જર્મનીના એક દાર્શનિક એરિકને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇને લખ્યું છે કે મારા માટે ભગવાન શબ્દનો અર્થ કઈ જ નથી પરંતુ તે અભિવ્યક્તિ અને માણસની કમજોરીનું પ્રતિક છે.

(6:15 pm IST)