Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

કબજીયાતથી હેરાન છો? કામ આવશે આ ઉપાય

આજના આ દોડધામ ભરા જીવનમાં અયોગ્ય ખાણીપીણી અને સમયસર ન જમવાથી વ્યકિતનું પાચનતંત્ર બરાબર કામ કરતુ નથી. કયારેક તો તમારૂ પેટ પણ યોગ્ય રીતે સાફ થતુ નથી અને કબજીયાતની સમસ્યા થઈ જાય છે. આ સમસ્યાના નિવારણ માટે જાણી લો કેટલાક ઉપાય.

 જો તમારૂ પેટ પણ યોગ્ય રીતે સાફ થતુ નથી, તો સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે બે ચમચી જૈતુનનું તેલ પીવુ, તેનાથી તમારૂ સાફ થઈ જશે.

 ત્યારે વ્યાયામ પણ તમને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જ્યારે તમે સવારે ઉઠીને વર્કઆઉટ કરો છો, તો તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. જેથી કબજીયાતની સમસ્યા થતી નથી.

 તમે તમારા ડાયટમાં દહીંને સામેલ કરો. તે પણ તમારા પેટને સાફ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(9:34 am IST)