Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોનાના કારનોસર દેશમાં 30 લાખ લોકોની નોકરીઓ જઈ શકે છે:પાકિસ્તાન વિત મંત્રાલય

નવી દિલ્હી:પાકિસ્તાનના વિત મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોનાના કારણોસર દેશમાં 30 લાખ લોકોની  નોકરીઓ જઈ શકવાની સંભાવના જણાઇ રહી છે. વિત મંત્રાલયના આ બયાન પછી આર્થિક તંગીથી પરેશાન પાકિસ્તાનના લોકોમાં ચિંતાનો વધારો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

પહેલાથી આર્થિક તંગીથી અને બેરોજગારીથી પરેશાન  આ દેશમાં યુવાનો માટે ભારે સંકટના વાદળ ઘેરાઈ ગયા છે મહામારીના કારણોસર અર્થવ્યવસ્થાને થયેલ નુકશાન  વીશે સિનેટર મુશ્તાક અહમદે સવાલના જવાબમાં વિત મંત્રાલયને જણાવ્યું  હતું કે ઔધોગિક વિસ્તારમાં 10 લાખ નોકરીઓ અને સેવા ક્ષેત્રમાં 20 લાખ નોકરીઓ જવાની સંભાવના છે.

(5:59 pm IST)