Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પાકિસ્તાનમાં એકજ દિવસમાં થયા 40લોકોના મૃત્યુ:સંક્રમિતોની સંખ્યા 22413ને પહોંચી

નવી દિલ્હી:સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે છેલ્લા 24 કલાકની અંદર કોરોના  વાયરસના કારણોસર 40 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તેમજ 1049 નવી ઘટના સામે આવી છે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પંજાબ પ્રાંતમાં 8420 ઘટના તેમજ સિંધમાં 8189,ખૈબર પખ્તુનખવામાં 3499,બલુચિસ્તાનમાં 1495,ઇસ્લામાબાદમાં 485,ગિલગિટમાં 386અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં 76 ઘટના સામે આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:12 pm IST)