Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

પાકિસ્તાને 20 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ગેરકાનૂની રૂપથી પ્રવેશ કરવા અને સમુદ્રી કિનારે માછલી પકડવાના આરોપમાં ધરપકડ કરેલ 20 માછીમારોને મુક્ત કર્યા છે એક સ્થાનિક સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ કરાચીના મલેર જિલ્લા જેલ લાંધીથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સરકારે તેમાંથી 20ને સદભાવના હેઠળ મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. આ માછીમારો એક વર્ષથી પણ વધારે સમયથી આ જેલમાં હોવાનું માલુમ પડી રહ્યું છે આ માછીમારોને મુક્ત કરતા હજુ પણ પાકિસ્તાની જેલમાં 21 ભારતીય માછીમારો કેદ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:20 pm IST)