Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

કંબોડિયામાં બિલ્ડીંગ ધરાશાયી થતા 36 લોકોના મૃત્યુથી અરેરાટી: 23 અન્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: કંબોડિયામાં બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણોસર 36 લોકોના મૃત્યુના સમાચાર મળતા અરેરાટી મચી જવા પામી છે રાહત તેમજ બચાવ અભિયાન હેઠળ કાટમાળની નીચે દબાયેલ 23 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એક સ્થાનિક સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નોમ પેન્હના દક્ષિણમાં 150 કિલોમીટર દૂર તટીય શહેર કેપમાં શુક્રવારના રોજ બપોરના સમયે એક બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી 43 કલાક સુધી ચાલેલ રાહત તેમજ બચાવ કાર્ય સવારના સમયે પૂર્ણ થયું છે આ એક દુર્ઘટના છે અને આ દુર્ઘટના ક્યાં કારણોસર થઇ છે તે અંગે પોલીસે તપાસ કરી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:19 pm IST)