Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

અર્મેનિયામાં ગોળીબારીની ઘટનામાં ત્રણ લોકોના મોતથી અરેરાટી: પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અર્મેનિયાના વેનેડજોર શહેરમાં થયેલ એક ગોળીબારીની ઘટનામાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય પાંચને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે  અર્મેનિયન ઇન્વેસ્ટિગેટિવ કમીટીના પ્રવક્તા નૈરા હારૂતયુનયાને વાતની માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                       નૈરા હારૂતયુનયાને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે શુક્રવારના રોજ સ્થાનિક સમયાનુસાર 11 વાગ્યાને 55 મિનિટની આસપાસ શેરની નજીક એક જગ્યા પર ગોળીબારી થવાની સૂચના મળી હતી પરંતુ ઘટનાસ્થળ પર પહોંચતા બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા ને 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા જે પૈકી 3 સારવાર દરમ્યાન દમ તોડ્યા હોવાનું માહિતી મળી રહી છે અને બીજા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:50 pm IST)