Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સાડા નવ કલાક કે તેથી વધુ સમય સુધી ઓફિસમાં બેસી રહેવાથી વ્હેલું મૃત્યુ આવે

બ્રિટીશ જર્નલમાં પ્રકાશિત રીસર્ચમાં દાવો

નવી દિલ્હી, તા.પઃ જો તમે દિવસમાં ૯ કલાક કે તેના કરતાં વધુ સમય સુધી બેઠા રહો છો તો આ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખતરનાક એ દૃષ્ટિએ કે તેનાથી તમારા માથે મૃત્યુનું જોખમ તોળાઈ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સંશોધનમાં આ જાણવા મળ્યું છે. બ્રિડિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, ઊંદ્યના સમયને બાદ કરતાં દિવસ દરમિયાન સાડા નવ કલાક કે તેના કરતાં વધુ સમય સુધી બેસી રહેવાથી વહેલા મૃત્યુ આવવાનું જોખમ વધી જાય છે.

નોર્વેની ઓસ્લોમાં નેર્વેજિયન સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ સાયન્સિસમાં આ સંશોધન કરવામાં આવ્યું છે. તેના માટે ૩૬,૩૮૩ પ્રતિભાગી પર સળંગ ૬ વર્ષ સુધી નજર રાખવામાંઆવી હતી. આ લોકોની સરેરાશ ઉંમર ૬૨.૬ વર્ષ હતી. આ સંશોધન માટે એકસેલેરોમીટરનો ઉપયોગ કરાયો હતો. આ ઉપકરણ હાથમાં પહેરવાનું હોય છે, જે જાગવાના કલાકો દરમિયાન ગતિવિધિનું પ્રમાણ અને તેની તીવ્રતાને ટ્રેક કરે છે.

આ રિસર્ચ દરમિયાન ૨૧૪૯ એટલે કે ૫.૯ ટકા પ્રતિભાગીઓનું મોત થઈ ગયું હતું. ડોકટર્સ પણ જણાવે છે કે, આપણે દિવસમાં કલાકો સુધી બેઠા રહીએ તો તેની અસર આપણા સમગ્ર શરીર પર પડે છે. લાંબા સમય સુધી આ પ્રકારની લાઈફસ્ટાઈલના કારણે પીઠનો દુખાવો, કમરનો દુખાવો જેવી સમસ્યા તો થાય જ છે, પરંતુ સાથે જ શરીરનો મેટાબોલિઝમ દર પણ દ્યટી જાય છે. જેને મેટાબોલિક સિન્ડ્રોમ પણ કહે છે.

વધુ સમય સુધી બેસી રહેવાના કારણે ડાયાબિટિસ, બ્લડ પ્રેશર, અનિયંત્રિત કોલેસ્ટ્રોલ અને હૃદયરોગનું જોખમ વધી જાય છે.  જો તમે વધુ સમય સુધી કમ્પ્યૂટર કે ટીવી સામે બેસો છો તો આંખો પણ નબળી પડે છે. લાંબા સમય સુધી તડકામાં બહાર ન નિકળવાના કારણે શરીરમાં વિટામીન ડીની પણ અછત પેદા થઈ શકે છે, જેના કારણે હાડકાં નબળાં પડી શકે છે.

આ સંશોધનમાં એ પણ જોવા મળ્યું કે, દિવસમાં ૩૦૦ મિનિટ એટલે કે પાંચ કલકા હળવી ફિઝિકલ એકિટવિટી- ધીમે-ધીમે ચાલવું કે રાંધવું, વાસણ ધોવા વગેરે કામ કે પછી ૨૪ મિનિ મધ્યમ ગતિની એકિટવિટી જેમકે ઝડપથી ચાલવું જેવા કામ કરવામાંઆવે તો શારીરિક ગતિવિધિ વધવાના કારણે મૃત્યુનો દર ઘટી ગયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાન્સ અનુસાર ૧૮થી ૬૪ વર્ષની ઉંમરના લોકો માટે એક સપ્તાહમાં ઓછામાં ઓછું ૧૫૦ મિનિટ સુધી મધ્યમ કે ૭૫ મિનિટ સુધી મહેનતુ શારીરિક પરિશ્રમ કરવું જોઈએ.

(9:57 am IST)