Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

કેન્યામાં પૂરના કારણે મૃતક આંક વધીને 112એ પહોંચ્યો

નવી દિલ્હી:કેન્યામાં એક મહિનાથી પણ  વધારે સમયથી આવેલ પુરના કારણે મૃતક આંક વધીને 112એ પહોંચી ગયો છે જયારે 260000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ કેન્યાના રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ અબ્બાસ ગુલેટે જણાવ્યું છે કે પીડિતોની તાત્કાલિક જરૂરિયાતને સંતોષવા માટે 47.8 લાખ ડોલરથી પણ વધુની જરૂરિયાત છે આ પૂર દેશના 47 ક્ષેત્રમાં પ્રભાવિત થયું છે અને 48 હજારથી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

(6:08 pm IST)