Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

રાત્રે સૂતી વખતે દૂધ પીધા પછી ન કરતા આ ભૂલો

દૂધ એ એક વસ્તુ છે, જે બધાના ઘરમાં હોય છે, નાના બાળકથી લઈ ઘરના બધા લોકો દૂધ પીવે છે કારણકે દૂધથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. બાળકોને દૂધ પીવડાવવાથી  તેનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થવા લાગે છે. કેલ્શિયમની પૂર્તિ માટે દૂધને સર્વોત્તમ પદાર્થ જાણવામાં આવે છે.

દૂધ પીવાથી શરીરના બધા પ્રકારના રોગ ઝડપથી ઠીક થવા લાગે છે. જે લોકોને હાડકા નબળા હોય છે. તેને દૂધ અવશ્ય પીવુ જોઈએ. પરંતુ, શું તમે જાણો છો કે દૂધ પીવાથી ફાયદો જ નહિં નુકશાન પણ થાય છે. ઘણા લોકો દૂધ પીધા બાદ અમુક પ્રકારની ભૂલો કરે છે, જેનાથી શરીરને નુકશાન પણ થઈ શકે છે.

જો કોઈ દૂધ પીધા બાદ માછલી ખાય છે, તો તેને ત્વચા સંબંધી રોગ થવાની સંભાવના ૮૦ ટકા વધી જાય છે. તેથી એ વાતનું ધ્યાન રાખવુ કે રાત્રે  સુતા પહેલા દૂધ પીવો છો, તો માછલીનું સેવન ન કરવું.

દૂધ પીધા બાદ જો પાણી ન પીવામાં આવે તો તેને દાંતમાં કીડા પડી જાય છે. તેનાથી બચવા માટે દરરોજ દૂધ પીધા બાદ પાણી પીવુ અથવા કોગળા જરૂર કરવા જોઈએ.

બાળકોને કે વર્ષની ઉંમર સુધી બ્રેસ્ટ મિલ્ક અને ફોર્મ્યૂલા જ આપવી જોઈએ. આ પછી તેને કાઈપણ રીતના દૂધની જરૂર નથી. વારંવાર બાળકોને પેટમાં દુઃખાવાની સતત ફરિયાદ રહે છે એને તેમાં ડાયાબિટીઝનો ખતરો વધી જાય છે.

(9:38 am IST)