Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

પંજાબના મોહાલીમાં ૧૯ નવેં.ના રોજ‘‘રૂસ્‍તમે હિંદ''દારાસિંઘનું લાઇફ સાઇઝ સ્‍ટેચ્‍યુ મુકાયું: પહેલવાન એકટર, તથા પોલિટીશીઅન સ્‍વ.દારાસિંઘની ૯૦મી જન્‍મ જયંતિ નિમિતે કરાયેલા અનાવરણ પ્રસંગે કુટુંબીજનો હાજર રહ્યા

પંજાબઃ રૂસ્‍તમે હિંદ તરીકે સુવિખ્‍યાત ભારતના પહેલવાન, એકટર તથા પોલિટીશીઅન ‘‘દારાસિંઘ''નું લાઇફ સાઇઝ સ્‍ટેચ્‍યુ તાજેતરમાં ૧૯ નવેં.૨૦૧૮ના રોજ પંજાબના મોહાલીમાં ખુલ્લુ મુકવામાં આવ્‍યું.

જુદી જુદી ૩ ધાતુઓના મિશ્રણમાંથી બનાવેલા તથા સ્‍વ.દારાસિંઘના ૯૦મા જન્‍મદિવસે તથા તેમના અવસાનના ૬ વર્ષ પછી શ્રી એસ.પી.સિંઘના સહકારથી અને પંજાબના ત્‍ખ્‍લ્‍ શ્રી કુમાર રાહુલના વરદ હસ્‍તે ખુલ્લા મુકાયેલા આ સ્‍ટેચ્‍યુના ઉદઘાટન પ્રસંગે સ્‍વ.દારાસિંઘના શ્રી વિનુ દારાસિંઘ સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા. આ સ્‍ટેચ્‍યુ નેશનલ હાઇ-વે ૨૧ ઉપર આવેલા દ્વારા સ્‍ટુડિયો નજીક મુકવામાં આવ્‍યું છે. તેવું શ્રી એસ.બી.શર્મા દ્વારા જાણવા મળે છે.

 

(9:45 pm IST)