Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

દક્ષિણ કોરિયામાં વાવાઝોડાના કારણે 6 લોકોના મોત: અન્ય 6ની શોધખોળ શરૂ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં  ભીષણ વાવાઝોડાના કારણે થયેલ ભારે વરસાદના પગલે 6 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 6ની હજુ શોધખોળ ચાલી રહી છે  સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભારે વરસાદના કારણે ભુસખ્લનની સ્થિતિ સર્જાઈ હતી અને બિલ્ડીંગો અને મકાન ધરાશાયી થયા હતા.

આ વાવાઝોડાના કારણે લાપતા થયેલ  6 લોકોને બચાવ કર્મીની ટિમ  શોધવાના પ્રયત્નો કરી રહી છે તેમજ ધરાશાયી થયેલ મકાનની  નીચે દટાયેલ 6 લોકોને પણ બચાવ અભિયાનની મદદથી કર્મીઓએ બહાર કાઢ્યા છે  હજુ પણ મૃતક આંકમાં વધારો થવાના સમાચાર મળી રહ્યા છે.

(6:10 pm IST)