Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

લીબિયા : વિદ્રોહીના સંઘર્ષની વચ્ચે 400 કેદીઓ ફરાર

લીબિયાની પોલીસનું કહેવું છે કે રાજધાની ત્રિપોલીમાં વિદ્રોહી ગ્રૂપોમાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે લગભગ 400 કેદીઓ જેલમાંથી ફરાર થઈ ગયા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કેદીઓએ આઇન ઝારા જેલના દરવાજા તોડી નાખ્યા હતા અને ફરાર થઈ ગયા હતા.

આ ઘટના સમયે જેલના સુરક્ષાકર્મીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા હતા.

રાજધાનીમાં વિદ્રોહી ગ્રૂપોમાં ચાલી રહેલા સંઘર્ષને જોતાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સરકારે ત્યાં કટોકટીની જાહેર કરી દીધી છે.

આઇન ઝારા જેલમાં રાખવામાં આવેલા મોટાભાગના કેદીઓને લીબિયાના પૂર્વ નેતા મુઅમ્મર ગદ્દાફીના સમર્થક માનવામાં આવે છે.

વર્ષ 2011માં ગદ્દાફી સરકારની વિરુદ્ધ થયેલા વિદ્રોહમાં તેમને લોકોની હત્યા કરવાના આરોપસર દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

(9:50 am IST)