Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પાકિસ્તાનના શેખપુરામાં ટ્રેન-બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 19 સીખ તીર્થયાત્રીઓના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના શેખપુરામાં એક ટ્રેન અને બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 19 શિખ શ્રદ્ધાળુઓના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. દર્દનાક ઘટના નનકાના  સાહેબના નજીક ફાટક વગરની જગ્યા પર ક્રોસિંગ પર થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે. શ્રદ્ધાળુઓ જયારે નનકાના સાહેબથી પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બની હતી.

            વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ  પણ મ્રુતકઆંક વધવાની શક્યતાઓ જણાઈ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:44 pm IST)