Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

શ્રીલંકામાં કોરોના વાયરસ પર રોક લગાવવા માટે નવા રાજ્યમંત્રીની નિમણુંક કરવામાં આવી

નવી દિલ્હી: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કોરોનાવાયરસની રોકથામ માટે નવા રાજ્યમંત્રીની નિમણૂક કરી છે, કારણ કે ટાપુ રાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 23,000 થી વધુ લોકો કોરોનાવાયરસથી અસરગ્રસ્ત થયા છે, જ્યારે વાયરસના કારણે 118 લોકોનાં મોત નીપજ્યાં છે. .

            આ માહિતી મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજપક્ષે સુદશર્ની ફર્નાન્ડોપુલને પ્રાથમિક આરોગ્ય સેવાઓ, રોગચાળો અને કોરોના નિવારણ રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.

(5:49 pm IST)