Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મેક્સિકોમાં નશામુક્તિ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારીમાં 24 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: અત્રે એક નશામુક્તિ કેન્દ્રમાં બુધવારે કેટલાક બંદુકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા 24 લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતાં, જેમની હાલત ગંભીર છે. ગુઆના જુઓટોમાં પોલીસે જણાવ્યું હતું કે હુમલો ઇરા પુઆટો શહેરમાં ગઇકાલે બુધવારે કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ નશાયુક્ત કેન્દ્રમાં બધાને નિશાન બનાવ્યા હતા. કોઇનું અપહરણ નહોતું કર્યું. ગોળીબારનું કારણ હજુ બહાર નથી આવ્યું. પરંતુ ગવર્નર ડિગો સિન્હઇએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે માદક પદાર્થોની તસ્કરી કરનારી ગેંગ હુમલામાં સામેલ છે.

(5:55 pm IST)