Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ત્રિપોલીમાં એલએનએ હુમલામાં 345લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ત્રિપોલીમાં વિદ્રોહી ફિલ્ડ માર્શલ ખલિફા હફ્તારની લિબિયા નેશનલ આર્મીના હુમલામાં 345 લોકો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે તેમજ 1652લોકો ઘાયલ થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મંગળવારના રોજ જણાવ્યું છે કે 28 એપ્રિલ સુધી ત્રિપોલીમાં 345લોકો  મોતને ભેટ્યા છે તેમજ 1652લોકો ઈજાગ્રસ્ત થયા છે એ વિસ્તારના જુદા જુદા હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(6:22 pm IST)