Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જાપાન: વૃદ્ધાશ્રમમાં આગ લાગવાના કારણે 11ના મોત

નવી દિલ્હી: જાપાનમાં એક વૃદ્ધાશ્રમમાં આગ લાગવાના કારણે 11 લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 3ને ઇજા પહોંચી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જાપાન પ્રશાસન હોક્કાઈડોના સાપોરા સ્થિત વૃદ્ધાશ્રમમાં આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે.આ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોમાં આંઠ પુરુષ અને ત્રણ મહિલાની ઓળખાણ હજુ સુધી નથી થઇ.તેમજ પાંચ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:52 pm IST)