Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જર્મનીના પક્ષીઘરમાં આગ ભભુકતા અફડાતફડી: મોટાભાગના કપિરાજના મૃત્યુ

નવી દિલ્હી: નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ઉતરી પશ્ચિમ જર્મનીના ક્રેફેલ્ડ પક્ષીઘરમાં ભીષણ આગ ભભૂકતા ઓરેંગટોન,ચિમ્પાનજી અને આફ્રિકી કપિરાજ સહીત ઘણા બધા પશુઓના મૃત્યુ નિપજ્યા હતા પક્ષીઘરના પ્રબંધને બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વાનરોની પ્રજાતિ માટે જાણીતું આ પક્ષીઘરનું પોતાનું અધિકારીક ફેસબુક પેજ પર જણાવ્યું છે કે અમારો સૌથી ખરાબ ભય હકીકત બની ગયો છે.

                 પોલીસ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામ ઓછામાં ઓછા 30 પશુઓના મૃત્યુ નિપજ્યા છે મધ્યરાત્રીના સમયે આગ ભભૂકી હતી જેમાં સૌપ્રથમ વાનરોના  પાંજરા બળીને ખાખ થઇ ગયા હતા આ પક્ષીઘર 1975માં શરૂ થયું હતું।

(6:44 pm IST)