News of Tuesday, 18th September 2018
અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાયતો ગુજરાતમાં કેમ નહીં?: રાજીવ સાતવ
અમદાવાદ :ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂત આક્રોશ રેલી અને સંમેલન પહેલા કોંગ્રેસ પ્રભારીએ ખેડૂતોના દેવા માફી અંગે પણ કેન્દ્ર-રાજ્ય સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં સરકાર મસ્ત છે અને ખેડૂતો ત્રસ્ત છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ગુજરાતમાં કેમ નહીં?
(5:43 pm IST)