News of Tuesday, 18th September 2018
વલસાડના વિરમગામ નજીક ટ્રેનમાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો
વલસાડ:વીરમગામ પેસેંજર ટ્રેન આજે સાંજે નડિયાદ રેલવે સ્ટેશને આવી પહોંચી હતી ત્યારે વીરમગામ પેસેંજર ટ્રેનની જનરલ ડબામાંથી એક અજાણ્યો વૃદ્ઘ (ઉં.વ.૭૦) મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુસ્લિમ જેવા જણાતા અજાણ્યા પુરૂષ મજબૂત બાંધાનો રંગે ઘઉં વર્ણો શરીરે સફેદ ઝભ્ભો લેંઘો તેમજ લાલ બનીયન પહેરેલ છે. આ વૃદ્ઘનું કુદરતી મોત નિપજ્યાનું જણાય છે. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.
(5:33 pm IST)