વડોદરા રઘુવંશી કોન્ટ્રાકટરના આપઘાત પ્રકરણમાં નવ બીલ્ડરોને પોલીસનું તેડુઃ ચકચાર
બીલ્ડરો નાણા નહી ચુકવતા જંતુનાશક દવા પી આપઘાત કરનાર
રાજકોટ, તા., ૧૯: વડોદરાના જાણીતા રઘુવંશી કોન્ટ્રાકટરે બે દિવસ પુર્વે નાણાકીય ભીડને કારણે આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગી છે. પોલીસે આ પ્રકરણમાં ૯ બીલ્ડરોને પુછપરછ માટે તેડુ મોકલ્યું છે.
વડોદરાના લક્ષ્મીપુરા-ગોરવા રોડ ઉપર શિવાલય બંગલોઝમાં રહેતા કોન્ટ્રાકટર અલ્પેશભાઇ વિનુભાઇ ઠક્કર (ઉ.વ.૪૦) તથા પત્ની હિનાબેન સાથે જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરેલ. રઘુવંશી યુવાન કોન્ટ્રાકટરનું મોત થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં યુવાનના બિલ્ડરો પાસે પૈસા રોકાયેલા હોવાનું અને આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભર્યુ હોવાનું બહાર આવ્યું છે. રઘુવંશી યુવાન અલ્પેશભાઇ ઠક્કરે આપઘાત પહેલા 'અલવીદા' નામનું ગૃપ બનાવી તેમાં ૯ બીલ્ડરોના નામ લખ્યા હતા તેના પગલે પોલીસે ૯ બીલ્ડરોને પુછપરછ માટે તેડુ મોકલ્યંુ છે.