ગુજરાત
News of Saturday, 31st October 2020

વિરમગામમાં આઇ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ કરાયો

શરદ પુર્ણિમાએ આઇ શ્રી ખોડીયાર માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ શહેરમાં મુનસર રોડ પર આવેલા આઇ શ્રી ખોડીયાર મંદિર ખાતે આસો સુદ પુનમ શરદ પુર્ણિમાના પાવન દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શનિવારે સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ભક્તોએ નવચંડી યજ્ઞ તથા આઇ શ્રી ખોડીયાર માતાજીના દર્શનનો અમુલ્ય લાભ લીધો હતો. શરદ પુર્ણિમાએ આઇ શ્રી ખોડીયાર માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

(6:38 pm IST)