News of Saturday, 31st October 2020
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં અગમ્ય કારણોસર 21 વર્ષીય યુવક-યુવતીએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામ્યો
વડોદરા: શહેરની આજવા રોડની રામનગર સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષની યુવતી અને હરિકૃષ્ણ ટાઉનશીપના શોપિંગ સેન્ટરની દુકાનમાં યુવકે આપઘાત કરી જીવન ટુંકાવી દીધા છે.
બાપોદ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજવા રોડ રામનગરમાં રહેતી નયના પૂનમભાઇ મારવાડી (ઉ.વ.૨૧) ઘરકામ કરે છે. અને તેના પિતા છૂટક મજૂરી કામ કરે છે. ગઇકાલે સાંજે નયનાએ બાથરૃમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ છે નયનાના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.
જ્યારે અન્ય એક બનાવમાં આજવા રોડ હરિકૃષ્ણ ટાઉનશીપ શોપિંગ સેન્ટરમાં રહેતો અંકીત ભદ્રીકભાઇ સોલંકી (ઉ.વ.૩૦) હાલમાં કોઇ કામ કરતો નથી. તેની પત્નીથી અલગ એકલો રહે છે. આજે સવારે તેને સાલ વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
(4:49 pm IST)