ગુજરાત
News of Saturday, 31st October 2020

પીએમના કાર્યક્રમના વિરોધ કરનાર ડો. પ્રફુલ્લ વસાવા પોલીસ પકડથી દૂર

પોલીસે એમને શોધવા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવ્યું

અમદાવાદ : આગાઉ વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો વિરોધ નોંધાવી આદિવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવાએ આંદોલનની ચીમકી આપી હતી, એ બાદ નર્મદા પોલીસે ડૉ. પ્રફુલ્લ વસાવા પર અલગ-અલગ 3 ગુનાઓ દાખલ કરતા તેઓ પોલીસના સકંજામાં ફસાઈ ગયા હતાં. જો કે હાલમાં પણ ડો.પ્રફુલ્લ વસાવા પોલીસ પકડથી દૂર છે. 31 મી ઓક્ટોબરનો પીએમ મોદીનો મુખ્ય કાર્યક્રમ બાકી છે ત્યારે સંભવિત વિરોધને પગલે પોલીસે એમને શોધવા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. સાથે સાથે ડૉ. પ્રફુલ્લ વસાવાના સંપર્કમાં જે કોઈ પણ વ્યક્તિ હોય એની પર પણ પોલીસની નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે

(11:25 pm IST)