News of Saturday, 31st October 2020
નર્મદા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું : શંકાસ્પદ વ્યક્તિઓ પર બાજનજર
નર્મદા પોલીસે 10-15 લોકોને નજરકેદ તો અમુક લોકોને ડિટેન કર્યા
વડાપ્રધાન મોદીના પ્રથમ દિવસના કાર્યક્રમમાં કોઈ વિરોધ ન થાય એ માટે IB ઇનપુટને પગલે નર્મદા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારી દીધું હતું. વિરોધ કરનારા સંભવિત લોકો પર પોલીસ વોચ રાખી રહી હતી. જો કે કેવડિયા વિસ્તારમાં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત હોવાથી કેવડિયા વિસ્તારમાં સન્નાટો છવાયો હતો. મળતી માહિતી મુજબ નર્મદા પોલીસે 10-15 લોકોને નજરકેદ તો અમુક લોકોને ડિટેન કર્યા હોવાનું પણ જાણવા મળે છે.
(11:17 pm IST)