ગુજરાત
News of Thursday, 31st October 2019

વિરમગામ શહેર ભાજપ દ્વારા સરદાર પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતિ ની ઉજવણી કરાઇ

વિરમગામ : વિરમગામ શહેર ભાજપ દ્વારા  સરદાર પટેલ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, યુવા મોર્ચાના હિતેશભાઈ મુનસરા, નિલેશભાઇ ચૌહાણ સહિત હોદ્દેદારો આગેવાનો કાર્યકરો કાઉન્સિલરો  ઉપસ્થિત રહ્યા હતા.

      વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે, વિરમગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર પહેરાવી પુષ્પઆંજલી કરી કોટિ કોટિ વંદન કર્યા હતા. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 144 મી જન્મજયંતીએ કોટિ કોટિ વંદન પાઠવિયે છીએ

 . ભારતનાં સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા અને 562 રજવાડાઓના વિલીનીકરણ દ્વારા ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવવા બદલ આ દેશ સદા તેમનો ઋણી રહેશે. આજના દિવસની આપણે 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવણી કરીએ છીએ ત્યારે આપણા સમાજમાં નાત-જાત-ધર્મનાં ભેદભાવો મટીને એકતાનો માહોલ સુદ્રઢ બને તેવી અભ્યર્થના વ્યક્ત કરું છું.

(7:49 pm IST)