News of Thursday, 31st May 2018
વડોદરામાં સીજીએસટી કમીશ્નરેટ કચેરીમાં સીબીઆઈ તપાસ
સુપ્રિટેન્ડેન્ટ કક્ષાના અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાના કારણે કાર્યવાહીની ચર્ચા ;ગાંધીનગરથી 10થી વધુ અધિકારીઓ ઘસી આવ્યા?
વડોદરા :શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સીજીએસટી કમિશનોરેટ -૨ની કચેરીમાં આજે બપોરથી જ સીબીઆઇની ગાંધીનગરે તપાસ કાર્યવાહી શરૃ કરી છે. ઓડિટ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ કક્ષાના અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાને મામલે કાર્યવાહીના ભાગ રૂપે તપાસ શરુ હોવાની ચર્ચા જાગી છે જોકે સીબીઆઇ દ્વારા આ અંગે કોઇ જ ટિપ્પણી કરવામાં આવી ન હોવાથી સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
ચર્ચાતી વિગત મુજબ મંગળવારે બપોરેના ૩ વાગે ગાંધીનગરથી સીબીઆઇના ૧૦ ઉપરાંત અધિકારીઓની ટીમ સુભાનપુરા જીએસટી ભવન ખાતે ધસી આવી હતી. જીએસટી ભવનમાં બીજા માળે આવેલી આ ઓફિસને ૩ વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત એન્ટ્રીમાં પણ ચાર અધિકારીઓએ કોઇને પણ બહારથી અંદર જવા મનાઇ ફરમાવી હતી.
(11:52 pm IST)