News of Tuesday, 30th November 2021
પવિત્ર કાર્તિક માસમાં મેમનગર ગુરુકુલમાં ફલકૂટોત્સવ ૧૫૦૦ કિલો દાડમ ઠાકોરજીને ધરાવાયા.
દાડમનો પ્રસાદ ગરીબોને સ્વયંસેવકો દ્વારા વહેંચવામા આવ્યો હતો.
અમદાવાદ તા. ૩૦ પવિત્ર કાર્તિક માસમાં, મેમનગર શ્રી સ્વામિનારાયમણ ગુરુકુલ ખાતે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, ૧૫૦૦ કિલો દાડમ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યા હતા.
દાડમનો પ્રસાદ ઝુપડપટ્ટી વિસ્તાર, વૃદ્ધાશ્રમ અને અપંગો તથા ગરીબોને વહેંચવામા આવ્યો હતો.
દાડમ વિતરણની તમામ વ્યવસ્થા કોઠારી મુક્ત સ્વરુપદાસજી સ્વામી, ભંડારી અક્ષરસ્વરૂપદાસજી સ્વામી અને અન્ય સ્વયંસેવકોએ સંભાળી હતી.
(2:36 pm IST)