કાર્તિક માસની એકાદશીના દિવસે SGVP ગુરુકુલમાં વિષ્ણુયાગ
અમદાવાદ તા.30 અખંડ ભગવત પરાયણ અ.નિ.પૂજ્ય જોગી સ્વામીની સ્મૃતિમાં દરરોજ SGVP ગુરુકુલમાં વિશાળ યજ્ઞશાળામાં સવારે વિષ્ણુયાગ અને સાંજે ધન્વંતરી યજ્ઞ કરવામાં આવે છે.
આજે કાર્તિક માસની વદી એકાદશીના દિવસે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને ગોંડળના તેમજ ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થી શ્રી પ્રવિણભાઇ પટેલ તથા ચિ. પિયુષભાઇ પટેલ અને લાલજીભાઇ સાકરિયાના યજમાન પદે મહાવિષ્ણુયાગ કરવામાં આવ્યો હતો.
શરુઆતે ગણપતિ, હનુમાનજી વગેર તમામ દેવોનું પૂજન કર્યા બાદ સર્વમંગળ સ્તોત્ર નામાવલિથી
ઘી, જવ, તલ અને અન્ય સામગ્રીથી અગ્નિદેવને આહુતિ આપવામાં આવીહતી.
યજ્ઞમાં પિયુષભાઇ પટેલ અને લાલજીભાઇ સાકરિયા પરિવાર સજોડે જોડાયા હતા
યજ્ઞની તમામ વિધિ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રીરામપ્રિયજીએ કરાવી હતી..