News of Tuesday, 30th November 2021
નર્મદા જિલ્લામાં કનબુડી પ્રા. શાળા પરિવારે ચેરમેન મનુભાઈ બરોટનું શાલ ઓઢાડી સન્માન કર્યુ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.27-11-2021ના દિવસે માનવસેવા ટ્રસ્ટ સાણંદના ચેરમેન મનુભાઈ બારોટે એમના 48મા જન્મદિવસની ઉજવણી ડેડીયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા કનબુડીમાં કરી હતી.આ પ્રસંગે એમણે ટાટા મોટર્સ તથા ફોર્ડ જેવી કંપનીઓની મદદથી શાળામાં ચાર કોમ્પ્યુટરનું દાન આપ્યુ હતું.
આ તબક્કે પ્રાથમિક શાળા કનબુડી શાળા પરિવારે મનુભાઈને કલ્યાણમય જીવનની શુભકામનાઓ આપી આભાર વ્યક્ત કર્યો હતો તથા શાલ ઓઢાડી એમનું સન્માન કર્યું હતું.
(10:12 pm IST)